google-site-verification: googlec8654436f05b508b.html

Kajol એ 2 વાર સહન કર્યું હતું મિસકેરેજનું દુઃખ, પહેલું બાળક તો..

Kajol એ 2 વાર સહન કર્યું હતું મિસકેરેજનું દુઃખ, પહેલું બાળક તો..

Kajol : બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ અને અજય દેવગનની લવસ્ટોરી ફિલ્મ ‘ઈશ્ક’થી શરૂ થઈ હતી. આ કપલે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું અને અંતે 1999માં લગ્ન કરી લીધા. આજે બંનેને ન્યાસા અને યુગ નામના બે બાળકો છે. જોકે, કાજોલના જીવનમાં એક એવો સમય પણ આવ્યો જ્યારે તેને ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થવું પડ્યું.

હ્યુમન્સ ઓફ બોમ્બેને આપેલા ઈન્ટરવ્યુમાં Kajol એ પોતાના જીવનનો દુઃખદ અનુભવ શેર કર્યો હતો. તેણે જણાવ્યું કે જ્યારે તે ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે તે ગર્ભવતી હતી. જો કે, આ ફિલ્મ પછી તેણીને કસુવાવડ થઈ હતી. આ ઘટના તેના અને અજય દેવગન માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો.

કાજોલ એ જણાવ્યું કે, પ્રથમ કસુવાવડ બાદ તેણે ફરીથી માતા બનવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બીજી વખત પણ તેનું કસુવાવડ થયું. તે સમયે તેણે અને અજયે સાથે મળીને આ પીડાનો સામનો કર્યો હતો.

Kajol
Kajol

અજય દેવગને આ વિશે કહ્યું હતું કે, “અમે બે વાર બાળક ગુમાવ્યું છે, પરંતુ અમને તેનો કોઈ અફસોસ નથી. આ સમય અમારા માટે ઘણો મુશ્કેલ હતો, પરંતુ અમે તેને એકસાથે પાર કર્યો.”

આ સિવાય કરણ જોહરે કાજોલ સાથેના મોટા અકસ્માતનો પણ ઉલ્લેખ કર્યો હતો. ‘યે લડકા હૈ દિવાના’ ગીતના શૂટિંગ દરમિયાન કાજોલ સાઈકલ ચલાવતી વખતે બેલેન્સ ગુમાવવાને કારણે પડી ગઈ હતી.

Kajol
Kajol

આ અકસ્માતમાં તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને થોડા સમય માટે તેમની યાદશક્તિ ગુમાવી દીધી હતી. તે એ પણ ભૂલી ગઈ કે અજય દેવગન તેનો પતિ છે. જોકે, સારવાર બાદ કાજોલ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ હતી.

બે કસુવાવડ સહન કર્યા પછી, કાજોલ અને અજયે તેમના બાળકો, ન્યાસા અને યુગનું સ્વાગત કર્યું. આજે આ જોડી બોલિવૂડના સૌથી મજબૂત અને પ્રેમાળ કપલ્સમાંથી એક માનવામાં આવે છે.

કાજોલ અને અજય દેવગનના લગ્નને 24 વર્ષ થઈ ગયા છે, અને બંને પોતાના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે. કાજોલ અવારનવાર તેના બાળકો અને પરિવાર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *