પદ્મિની એકાદશી 2023:આ એકાદશી ભગવાન વિષ્ણુની સૌથી પ્રિય છે, સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ અને પાપની મુક્તિ મેળવવા કરો 11માંથી કોઈ એક ઉપાય

પદ્મિની એકાદશી 2023:આ એકાદશી ભગવાન વિષ્ણુની સૌથી પ્રિય છે, સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ અને પાપની મુક્તિ મેળવવા કરો 11માંથી કોઈ એક ઉપાય

ભગવાન હરિવિષ્ણુને પ્રિય એવો ખાસ, એટલે કે અધિક માસ ચાલી રહ્યો છે. પુરુષોત્તમ માસમાં સુદ પક્ષમાં આવતી અગિયારસને `પદ્મિની’ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. એને કમલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. મલમાસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ મહિનાની એકાદશી વિશેષ માનવામાં આવે છે. અધિક માસમાં 3 વર્ષમાં એકવાર આવે છે, તેથી પદ્મિની એકાદશી પણ 3 વર્ષમાં એકવાર આવે છે. આ વખતે પદ્મિની એકાદશી પર શુભ યોગ બની રહ્યા છે, જેના કારણે તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે, જાણો આ એકાદશીની પૂજા પદ્ધતિ, મહત્ત્વ શુભ સમય અને એની સાથે સંકળાયેલી કથાઓ વિશે.

અધિક માસની પદ્મિની એકાદશીનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે.
માન્યતાઓ અનુસાર, જે વ્યક્તિ આ વ્રતને સાચા હૃદય અને પૂર્ણ ભક્તિથી રાખે છે તેને ભગવાન વિષ્ણુની દુનિયામાં સ્થાન મળે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ વ્રત કરવાથી વ્યક્તિને દરેક પ્રકારના તપ, યજ્ઞ અને વ્રત વગેરેથી જે ફળ મળે છે એવું જ ફળ મળે છે. માન્યતાઓ અનુસાર અધિક માસની એકાદશી વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે

કમલા એકાદશી (પદ્મિની એકાદશી 2023) પર આ શુભ યોગ બનશે
29 જુલાઈ, શનિવારના રોજ સવારે 09:34 સુધી બ્રહ્મ નામનો શુભ યોગ રહેશે. આ પછી ઈન્દ્રના નામનો શુભ યોગ દિવસભર રહેશે. આ સમયે સિંહ રાશિમાં બુધ અને શુક્રનો યુતિ હશે, જેના કારણે લક્ષ્મીનારાયણ નામનો શુભ યોગ બનશે. લક્ષ્મીનારાયણ યોગમાં કમલા એકાદશીનો સંયોગ ખૂબ જ શુભ રહેશે.

આ વખતે આ વ્રત ખાસ કેમ છે?
આ વખતે અધિક માસની પદ્મિની એકાદશી શ્રાવણના અધિક માસની જેમ વિશેષ રહેશે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આવનારા ચાતુર્માસ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી જે પુણ્ય મળે છે એ અખૂટ છે, સાથે જ શિવ અને વિષ્ણુપુરાણમાં ખાસ કરીને શ્રાવણમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાની રીત પણ સમજાવવામાં આવી છે. એનાથી જાણ્યે-અજાણ્યે કરેલાં તમામ પ્રકારનાં પાપોનો અંત આવે છે.

પદ્મિની એકાદશીની પૂજા-વ્રત વિધિ

  • પદ્મિની એકાદશી વ્રતના નિયમોનું પાલન એક દિવસ પહેલાં એટલે કે 28મી જુલાઈ, શુક્રવારથી કરવાનું રહેશે. આ દિવસે રાત્રે સાત્ત્વિક આહાર લેવો અને બ્રહ્મચર્યનું પાલન કરીને જમીન પર સૂવું.
  • 29મી જુલાઈએ સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કર્યા પછી વ્રતનો નિયમ લેવો. ઉપર જણાવેલા કોઈપણ શુભ સમય પહેલા પૂજાની તૈયારી કરો.
  • શુભ મુહૂર્તની શરૂઆતમાં ભગવાન વિષ્ણુની છબિને બાજોટ પર સ્થાપિત કરો, થાળીને સ્વચ્છ જગ્યાએ રાખો. સૌથી પહેલા શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. ભગવાનને ફૂલોની માળા ચઢાવો.
  • ત્યાર પછી કુમકુમથી તિલક કરો અને અબીર, ગુલાલ, પાન, ફૂલ, ચોખા વગેરે એક-એક કરીને અર્પણ કરો. ભગવાનને નૈવેદ્ય ધરાવો, એમાં તુલસીનાં પાન અવશ્ય મૂકવાં.
  • આરતી કરો અને ભક્તોમાં પ્રસાદ વહેંચો. દિવસ દરમિયાન નિર્જળ ઉપવાસ કરો, જો આ શક્ય ન હોય તો તમે એક સમયે ફળ ખાઈ શકો છો. બ્રાહ્મણને અનાજ દાન કરો.
  • કમલા એકાદશી વ્રતની રાત્રે સૂવાના બદલે ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ અથવા ભજન-કીર્તન કરવું જોઈએ
    પારણાનો સમય

એકાદશી વ્રત બીજા દિવસે એટલે કે 30મી જુલાઈ, રવિવારના રોજ ઊજવવામાં આવશે. આ માટે શુભ સમય સવારે 06:00થી 08:37 વચ્ચે રહેશે. પારણા પહેલાં બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન આપીને તૃપ્ત કરો. જો આમ કરવું શક્ય ન હોય તો કાચા ખાદ્ય પદાર્થો જેમ કે લોટ, દાળ, ચોખા, ઘી વગેરેનું દાન કરો

અધિક માસની એકાદશીની કથા

  • પ્રાચીન સમયમાં મહિષ્મતીનગરનો રાજા કૃતવીર્ય હતો. તેને કોઇ સંતાન હતું નહીં. રાજાએ અનેક વ્રત-ઉપવાસ અને યજ્ઞ કર્યાં, પરંતુ કોઇ ફાયદો થયો નહીં, જેથી દુઃખી થઇને રાજા જંગલમાં જઇને તપસ્યા કરવા લાગ્યો. અનેક વર્ષ સુધી તપ કર્યું, પરંતુ ભગવાને દર્શન આપ્યાં નહીં.
  • ત્યારે તેની એક રાણી પ્રમદાએ અત્રિ ઋષિની પત્ની સતી અનુસૂયાને પુત્ર પ્રાપ્ત કરવાના ઉપાય પૂછ્યાં. તેમણે પુરુષોત્તમી એકાદશી વ્રત કરવાનું જણાવ્યું.
  • આ વ્રત કરવાથી ભગવાન રાજા સામે પ્રકટ થયા અને તેને વરદાન આપ્યું કે તને એવો પુત્ર મળશે, જેને દરેક જગ્યાએ વિજય પ્રાપ્ત થશે. તે દેવ અને દાનવ પણ હારી શકશે નહીં. તેના હજારો હાથ હશે. એટલે તે પોતાની ઇચ્છાથી તેના હાથ વધારી શકશે.
  • ત્યાર બાદ રાજાના ઘરે પુત્ર થયો, જેણે ત્રણેય લોકને જીતીને રાવણને પણ હરાવ્યો અને બંદી બનાવી લીધો. રાવણના દરેક માથા ઉપર દીવો પ્રગટાવીને તેને ઊભો રાખ્યો. તે મહાબલીને જ સહસ્ત્રાઅર્જુનના નામે ઓળખવામાં આવે છે
  • પદ્મિની એકાદશી પર ભગવાન વિષ્ણુના અવતારોની વિશેષ પૂજા કરવાની પરંપરા

પીપળાની પૂજાઃ
અધિક માસના કૃષ્ણ પક્ષની એકાદશી પર પીપળાની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે. આ દિવસે સવારે વહેલા ઊઠીને પાણીમાં ગંગાજળ, કાચું દૂધ અને તલ મિક્સ કરીને પીપળાને અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓ પણ સંતુષ્ટ થાય છે.

તુલસીદલ પૂજાઃ
ભગવાન શાલિગ્રામને દૂધ અને જળથી અભિષેક કરો અને પૂજા સામગ્રી ચઢાવો. પવિત્ર કરેલા પાણીમાંથી થોડું જાતે પીવું અને બાકીનું તુલસીને અર્પણ કરો. આ પછી હળદર, ચંદન, કુમકુમ, અક્ષત, ફૂલ અને અન્ય પૂજા સામગ્રીથી તુલસી માતાની પૂજા કરવી જોઈએ.

અન્ન અને વસ્ત્રોનું દાન કરીને મહાયજ્ઞનું ફળ
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, આ એકાદશી પર દાન કરવાથી દરિદ્રતામાંથી મુક્તિ મળે છે. એવું પણ માનવામાં આવે છે કે પદ્મિની એકાદશી પર અન્ન અને વસ્ત્રોનું દાન કરવાથી જેટલું પુણ્ય મળે છે એટલું જ પુણ્ય તમામ પ્રકારનાં દાન અને અનેક તીર્થસ્થાનોની મુલાકાત લેવાથી મળે છે, તેથી આ દિવસે તુલસી અને પીપળાને જળ ચઢાવવું જોઈએ તેમજ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. આ દિવસે ગાયની સેવા કરવાથી પણ વ્રતનું પુણ્ય વધે છે.

બાર રાશિના જાતકો માટે અત્યંત શુભ સમય

મેષ
મેષ રાશિના જાતકો માટે પદ્મિની એકાદશી આનંદદાયક રહેશે. તમારું માન-સન્માન વધશે અને જે લોકો બેંકિંગક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તેમને પ્રમોશન મળી શકે છે અને તેઓ બચત યોજનાઓમાં પણ સારા પૈસા રોકશે. ખાણી-પીણી પર સંપૂર્ણ ધ્યાન આપો. તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે અને પરિવારના કોઈ સભ્યની નિવૃત્તિને કારણે પરિવારમાં તેમના માટે પાર્ટીનું આયોજન થઈ શકે છે.

વૃષભ
પદ્મિની એકાદશી વૃષભ રાશિના લોકો માટે એક પછી એક સારા સમાચાર લઈને આવી રહી છે. તમે તમારા પરિવારના કોઈપણ સદસ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો. તમારે બાળકોની કારકિર્દી પર ધ્યાન આપવું જોઈએ, નહીં તો સમસ્યાઓ આવશે અને તમારાં કેટલાંક જૂનાં કામ લાંબા સમય સુધી અટકી શકે છે.

મિથુન
મિથુન રાશિના જાતકોએ પદ્મિની એકાદશીના દિવસે તેમની આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે, નહીં તો મુશ્કેલી પડશે. વિદેશમાં રહેતા સંબંધીઓના ફોન કોલ દ્વારા તમને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો તમે કોઈ કાયદાકીય બાબતમાં આગળ વધશો તો એ તમારા માટે સારું રહેશે અને વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે અને તમે તમારા કામમાં વ્યસ્ત રહેશો.

કર્ક
કર્ક રાશિના લોકો માટે પદ્મિની એકાદશી સારી રહેવાની છે અને તમને કાર્યક્ષેત્રમાં કોઈ મોટી સિદ્ધિ મળી શકે છે. તમારે નાણાકીય બાબતોમાં લોન આપવાનું ટાળવું પડશે, નહીં તો મુશ્કેલી આવી શકે છે

સિંહ
પદ્મિની એકાદશી સિંહ રાશિના લોકો માટે કેટલીક મોટી સિદ્ધિઓ લઈને આવી રહી છે. તમે વિવિધ ક્ષેત્રોમાં પ્રભાવશાળી રહેશો અને મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવોને સમર્થન મળશે. જો તમે કોઈ કામમાં ઢીલા રહેશો તો ભવિષ્યમાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમે કોઈ મોટા ધ્યેય પ્રત્યે સમર્પિત રહેશો અને જો તમને કાર્યક્ષેત્રમાં તમારી ક્ષમતા અનુસાર કામ મળશે તો તમે ખુશ થશો.

કન્યા
પદ્મિની એકાદશીએ કન્યા રાશિના જાતકો ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈને શુભ કાર્ય કરવા માટે શુભ રહેશે. તમે વિવિધ કાર્યોમાં ઝડપ બતાવશો અને નવું વાહન પણ ખરીદી શકો છો. પરિવારના કોઈ સભ્ય પાસેથી તમને સારી માહિતી મળી શકે છે. જો લાંબા સમયથી વિવાહિત જીવનમાં કોઈ અવરોધ હતો તો એ પણ આજે દૂર થઈ જશે.

તુલા
પદ્મિની એકાદશીના દિવસે તુલા રાશિના જાતકોએ સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું પડશે, નહીંતર કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારે તમારા આહાર પર ધ્યાન આપવું જોઈએ અને શુદ્ધ ભોજન લેવું જોઈએ. ભાવનાત્મક બાબતોમાં ઉતાવળ ન કરવી. કોઈ અજાણી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. જો તમે તમારી અંગત બાબતોમાં સમજદારીપૂર્વક આગળ વધશો તો તમારા માટે સારું રહેશે.

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો માટે પદ્મિની એકાદશી મહત્ત્વની રહેવાની છે. મન સાથેના સંબંધો મજબૂત રહેશે અને અંગત જીવન ખુશહાલ રહેશે. ધંધાના મામલામાં સારું રહેશે. આજે તમે કોઈ મોટી ઉપલબ્ધિ મેળવીને ખુશ થશો, પરંતુ દરેકનો સહયોગ પણ રહેશે. મિત્રના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત રહી શકો છો. વિદ્યાર્થીઓ તેમની પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત રહેશે, તો જ તેઓ સફળતા મેળવી શકશે.

ધન
પદ્મિની એકાદશીનો દિવસ ધન રાશિના લોકો માટે સારા આર્થિક લાભનો સંકેત આપી રહ્યો છે. તમને કેટલીક નવી મિલકત મળી શકે છે અને તમારે તમારી દિનચર્યા જાળવી રાખવી જોઈએ. જો તમે ઘર અને પરિવારની જવાબદારીઓમાંથી પાછા હટશો તો તમને નુકસાન થઈ શકે છે. તમારા કેટલાક પ્રતિસ્પર્ધીઓ તમારા પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરશે, જેને તમારે અવગણવું

મકર
મકર રાશિના જાતકો માટે પદ્મિની એકાદશી શુભ ફળ આપનારી છે. તમારે નાની નફાની તકોને ઓળખવી પડશે અને એનો અમલ કરવો પડશે અને તમે મિત્રો સાથે કેટલાક મનોરંજન કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો. જો તમે તમારી ઊર્જા યોગ્ય કામમાં લગાવશો તો એ તમારા માટે વધુ સારું રહેશે અને તમારા કેટલાંક મોટાં લક્ષ્યો પૂરાં થઈ શકે છે. તમને એક પછી એક સારા સમાચાર મળતા રહેશે.

કુંભ
કુંભ રાશિના લોકો માટે પદ્મિની એકાદશી સુખ અને સુવિધાઓમાં વધારો કરશે અને તમે કાર્યસ્થળમાં સારું પ્રદર્શન કરશો અને કોઈપણ કાર્ય સમયસર પૂર્ણ કરી શકશો. જો તમને વ્યવસાયની કામગીરીને લઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો એ વધુ સારું છે કે તમે કોઈ અનુભવી વ્યક્તિ સાથે વાત કરો અને કોઈ મહત્ત્વપૂર્ણ માહિતી લીક થવા ન દો, નહીં તો કોઈ એનો લાભ લઈ શકે છે.

મીન
મીન રાશિના લોકો માટે પદ્મિની એકાદશીનો દિવસ સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકો માટે સારો રહેવાનો છે. અંગત બાબતોમાં તમે સાવધાનીપૂર્વક આગળ વધો, તમારી હિંમત વધી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. દૂર રહેતા કોઈ સંબંધી પાસેથી સારી માહિતી સાંભળવા મળી શકે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *