google-site-verification: googlec8654436f05b508b.html

આ અપ્સરાએ આપ્યો હતો હનુમાનજીને જન્મ, જાણો હનુમાનજીના જન્મની આ અનોખી કથા

આ અપ્સરાએ આપ્યો હતો હનુમાનજીને જન્મ, જાણો હનુમાનજીના જન્મની આ અનોખી કથા

જ્યોતિષો નું માનીએ તો બજરંગબલી નો જન્મ ચૈત્ર પૂર્ણિમા ને મંગળવાર અ દિવસે ચિત્ર નક્ષત્ર તેમજ મેષ લગ્ન ના યોગ થયો હતો. કહેવાય છે હનુમાનજી ના પિતા સુમેરુ પર્વત ના વાનરરાજ રાજા કેસરી હતા અને માતા અંજની હતી.

તેમજ હનુમાનજી ને પવન પુત્ર ના નામ થી પણ ઓળખવામાં આવે છે. અને એના પિતા વાયુ દેવ પણ માનવામાં આવે છે. એવામાં રાજસ્થાન ના સાલાસર તેમજ મહેન્દીપુર ધામ માં એનું વિશાળ ભવ્ય મંદિર છે જ્યાં ખુબ ધામ ધૂમ થી એની પૂજા કરવામાં આવે છે.

આવો જાણીએ કે કેવી રીતે થયો હતો હનુમાનજી નો જન્મ. પુંજીકસ્થળી એટલે માતા અંજની- પુંજીકસ્થળી દેવરાજ ઇન્દ્ર ની સભા માં એક અપ્સરા હતી. એક વાર જયારે દુર્વાસા ઋષિ ઇન્દ્ર ની સભામાં ઉપસ્થિત હતા,

ત્યારે અપ્સરા પુંજીકસ્થળી વારંવાર અંદર-બહાર આવી જઈ રહી હતી, એનાથી ગુસ્સે થઈને ઋષિ દુર્વાસા એ એને વાનરી થઇ જવાની શ્રાપ આપી દીધો. પુંજીકસ્થળી એ માફી માંગી, તો ઋષિ એ ઇચ્છાનુસાર રૂપ ધારણ કરવાનો શ્રાપ પણ આપ્યો.

અમુક વર્ષો પછી પુંજીકસ્થળી એ વાનર શ્રેષ્ઠ વિરજની પત્ની ના ગર્ભ થી વાનરી રૂપ માં જન્મ લીધો. એનું નામ અંજની રાખવામાં આવ્યું. વિવાહ યોગ્ય થવા પર પિતા એ એમની સુંદર પુત્રી ના વિવાહ મહાન પરાક્રમી કપિ શિરોમણી વાનરરાજ કેસરી સાથે કરી દીધા.

આ રૂપ માં પુંજીકસ્થળી માતા અંજની કહેવાઈ. જયારે વાનરરાજ ને આપ્યું ઋષીઓ ને વરદાન – એક વાર ફરતા ફરતા વાનરરાજ કેસરી પ્રભાસ તીર્થ પાસે પહોંચ્યા. એમણે જોયું કે ઘણા બધા ઋષિ ત્યાં આવી ગયા છે. અમુક સાધુ કિનારા પર આસન લગાવીને પૂજા અર્ચના કરી રહ્યા હતા.

એ સમયે ત્યાં એક વિશાળ હાથી આવી ગયો અને એને ઋષીઓ ને મારવાનો પ્રારંભ કરી દીધો. ઋષિ ભારદ્વાજ આસન પર શાંત થઈને બેઠા હતા, ત્યારે તે દુષ્ટ હાથી એની પાસે આવી ગયો. પાસ ના પર્વત શિખર થી કેસરી એ હાથી ને એમ જ ધમાલ મચાવતો જોયો

તો એમણે બળપૂર્વક એના મોટા મોટા દાંત ઉખાડી નાખ્યા અને મારી મારી નાખ્યો. હાથી મરી જવા પર પ્રસન્ન થઈને ઋષીઓ એ કહ્યું, ‘વરદાન માંગો વાનરરાજ.’ કેસરી એ વરદાન માંગ્યું, ‘ હે પ્રભુ, ઇચ્છાનુસાર રૂપ ધારણ કરવા વાળા, પવન ની સમાન પરાક્રમી તથા રુદ્ર ની સમાન પુત્ર તમે મને પ્રદાન કરો.’

ઋષીઓ એ ‘તથાસ્તુ’ કહ્યું અને તે જતા રહ્યા. એના પછી વાનરરાજ કેસરી ના વિસ્તાર માં ભગવાન રુદ્ર એ સ્વયં અવતાર ધારણ કર્યો. આ રીતે શ્રીરામદૂત હનુમાનજી એ વાનરરાજ કેસરી ને ત્યાં જન્મ લીધો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *