Yuzvendra Chahal ને સાચા પ્રેમ પરથી ઉઠ્યો ભરોસો? આંખોમાં આસું..
Yuzvendra Chahal : ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ આ દિવસોમાં ભારે ઉદાસ જોવા મળી રહ્યા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટ દ્વારા તેમના સંબંધો પર પડેલા પ્રભાવ અને તેમના મનોબળની હાલત અંગે સંકેત આપ્યો છે. યુઝવેન્દ્ર ચહલ અને તેમની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે 4 વર્ષ જૂના સંબંધમાં કડવાશનો સંકેત ચહલ દ્વારા અગાઉ પણ આપવામાં આવ્યો હતો.
તાજેતરમાં ચહલએ ઇન્સ્ટાગ્રામ પર 4 તસવીરો શેર કરી હતી, જેમાં તેઓ ખૂબ ભાવુક અને ઉદાસ જોવા મળી રહ્યા છે. આ તસવીરોમાં એક ક્લોઝઅપ શોટમાં તેમની આંખોમાં આંસુ પણ સ્પષ્ટ જોવા મળ્યાં. ચહલના ચાહકો અને પ્રેક્ષકો માટે આ પોસ્ટ ખૂબ ભાવુક બનાવી છે.
સાથે જ સોશિયલ મીડિયા પર પણ તેમના અને ધનશ્રીના સંબંધો અંગે અનેક પ્રકારની અફવાઓ અને ચર્ચાઓ થઈ રહી છે. બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા હોવાથી આ ચર્ચાઓ વધુ તેજ થઈ છે.
View this post on Instagram
Yuzvendra Chahal એ એકવાર એક ભાવુક પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે, “તમામ પ્રશંસકોના અતૂટ પ્રેમ અને સમર્થન માટે આભારી છું, જેના વગર હું અહીં સુધી પહોંચી શક્યો ન હોત. જો કે, મારા માટે હજુ પણ મારી ટીમ, મારા દેશ અને મારા ચાહકો માટે ઘણી ઓવરો બાકી છે.”
ચહલના અંગત જીવનને લઈને ચાલતી આ ચર્ચાઓ વચ્ચે તેમણે એક અલગ પોસ્ટમાં લખ્યું, “Real love is rare. Hi, my name is ‘Rare’.” આથી તેઓ સાબિત કરી રહ્યા છે કે સાચો પ્રેમ દુર્લભ છે અને પોતે પણ દુર્લભ છે. આ સાથે તેઓએ સંકેત આપ્યો છે કે તેમનું મનોબળ ખોરવાયું છે અને તેઓ ઈમોશનલ ટૂચકા પર છે.
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ 2020માં લગ્ન કર્યા હતા અને લગ્ન પહેલાં થોડો સમય એકબીજાને ડેટ પણ કર્યા હતા. પરંતુ તેમના સંબંધમાં કડવાશની ચર્ચાઓ એ પછી શરૂ થઈ જ્યારે બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યું. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટાનકોવિક વચ્ચેના અલગાવની વાતો પછી, હવે ચહલના સંબંધો પર સસ્પેન્સ વધુ ઘેરું બન્યું છે.