google-site-verification: googlec8654436f05b508b.html

કોણ છે Ambani Family ના મહાલક્ષ્મી? ટીના અંબાણી અને નીતા અંબાણી માને છે ગુરૂ

કોણ છે Ambani Family ના મહાલક્ષ્મી? ટીના અંબાણી અને નીતા અંબાણી માને છે ગુરૂ

Ambani Family : અંબાણી પરિવાર હાલમાં ખૂબ જ લાઈમલાઈટમાં છે, અને એનું મુખ્ય કારણ છે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શાહી લગ્ન.

આ લગ્નને કારણે Ambani Family ફરીથી ચર્ચામાં આવ્યો છે. પરંતુ, શું તમે જાણો છો કે આ પરિવારના બિગ બોસ માનતા કોકિલાબેન અંબાણી કયા પુત્ર સાથે રહે છે? અને બંને વહુઓ, નીતા અંબાણી અને ટીના અંબાણી સાથે તેમના સંબંધો કેવી રીતે છે? ચાલો, આજે આ વિશે થોડી વાત કરીએ.

મુકેશ અંબાણીનું નામ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં પણ સામેલ થાય છે. જ્યારે તેમના નાના ભાઈ અનિલ અંબાણીની સ્થિતિ થોડી ડામાડોળ છે.

Ambani Family
Ambani Family

એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે બંને ભાઈઓ વચ્ચે મતભેદના અહેવાલો સામે આવ્યા હતા. પણ, કોકિલાબેને પોતાના બૂદ્ધિપ્રસંગથી બંને ભાઈઓ વચ્ચેના આ મતભેદોને દૂર કરી દીધા હતા. કોકિલાબેનનો અભિપ્રાય આજેય અંબાણી પરિવારના દરેક નિર્ણય મહત્ત્વનો ગણાય છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કોકિલાબેન અંબાણી તેમના મોટા પુત્ર મુકેશ અંબાણીના પરિવાર સાથે એન્ટિલિયા હવેલીમાં રહે છે. કોકિલાબેન તેમની બંને વહુઓ, નીતા અંબાણી અને ટીના અંબાણીને ખૂબ જ પ્રેમ કરે છે.

Ambani Family
Ambani Family

અને તેમને દીકરીઓની જેમ જ માન આપે છે. ટીના અંબાણી ઘણી વખત સોશિયલ મીડિયા પર કોકિલાબેન માટે પોતાના પ્રેમની ભાવનાઓ વ્યક્ત કરે છે. નીતા અંબાણી પણ દરેક ફંક્શનમાં કોકિલાબેનની સાથે ચાલતી જોવા મળે છે, અને તેમની ખૂબ કાળજી રાખે છે. ટુંકમાં, કોકિલાબેન અને તેમની બંને વહુઓ વચ્ચે મા-દીકરી જેવો અનોખો સંબંધ છે.

કોકિલાબેને થોડા સમય પહેલાં આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતાના પરિવાર વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, બંને વહુઓ, નીતા અને ટીના, તેમની ખૂબ કાળજી રાખે છે.

Ambani Family
Ambani Family

કોકિલાબેને જણાવ્યું કે જ્યારે મુકેશ ઓફિસ જાય છે ત્યારે તે રોજ તેમને ફોન કરે છે. આ ઉપરાંત, કોકિલાબેન દરરોજ નાના દીકરા અનિલ અંબાણીને પણ મળે છે. કોકિલાબેનને નીતાનું જિમ ગમે છે, તેથી તેઓ અઠવાડિયામાં ત્રણ વાર ત્યાં જાય છે.

જ્યારે વાત આવે છે કોકિલાબેન અંબાણીની કુલ સંપત્તિની, તો મિડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની કુલ નેટવર્થ 18,000 કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે, જે અંબાણી પરિવારની સૌથી વધારે હોવાની શક્યતા છે. જોકે, આ દાવામાં કેટલી સચ્ચાઈ છે તે તો માત્ર કોકિલાબેન અથવા અંબાણી પરિવાર જ જાણે.

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *